એકતાનગરના 1000 આદિવાસી પરિવારો બનશે ઊર્જા આત્મનિર્ભર: 665 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025 ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ, ગરુડેશ્વર તાલુકાના 1000 પરિવારોને રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 665 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી પરિવારોને લાકડા અને LPG પરની નિર્ભરતામાંથી મુક્તિ અપાવવાનો છે. લઘુત્તમ ત્રણ પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે.