ગુજરાત યાયાવર પક્ષીઓનું મનપસંદ આશ્રયસ્થાન: વર્ષ 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન
વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઈટ્સ, નડાબેટ અને કચ્છના ‘રોડ ટુ હેવન’માં અંદાજે 35 લાખથી વધુ સ્થાનિક અને વિદેશી પક્ષીઓ નોંધાયા છે. વન વિભાગના વાઈલ્ડલાઈફ પ્રભાગના જણાવ્યા અનુસાર, પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મહેમાન બને છે.નડાબેટમાં 14 .90 લાખ પક્ષીઓ સાથે પક્ષીઓની પહેલી પસંદ બન્યું છે. અહીં સુરખાબ (લેસર ફ્લેમિંગો)ની સંખ્યા 9 લાખથી વધુ નોંધાઈ છે.ખીજડીયામાં અહીં સૌથી વધુ 347 પ્રજાતિના 3.12 લાખ પક્ષીઓ જોવા મળ્યા છે. વર્ષ 2021માં તેને ‘રામસર સાઈટ’નો દરજ્જો મળ્યો હતો. ધોળાવીરા પાસેના આ સ્થળે ચાલુ વર્ષે 7.90લાખ પક્ષીઓ નોંધાયા છે.