પ્રધાનમંત્રી મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શુભેચ્છા કરી મુલાકાત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યપાલએ પ્રધાનમંત્રીના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી.