લશ્કરી કાર્યવાહીથી કટોકટીનો ઉકેલ નહીં આવે: અમેરિકા અને યુએઈને અરાઘચીની કડક ચેતવણી
આ યુએસ મિશન પર પ્રતિક્રિયા આપતા, ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ફ્રીડમ એ પ્રોજેક્ટ ડેડલોક છે. વધુમાં, ઈરાનના વિદેશ પ્રધાને અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતને ચેતવણી આપી હતી કે લશ્કરી કાર્યવાહી કોઈપણ રાજકીય કટોકટીનો ઉકેલ નથી.અમેરિકા અને યુએઈને ચેતવણી આપતા, અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, "હોર્મુઝમાં બનેલી ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજકીય કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી. પાકિસ્તાનના સારા પ્રયાસોને કારણે વાટાઘાટો આગળ વધી રહી છે. તેથી, અમેરિકાએ સાવચેત રહેવું જોઈએ કે તેના દુશ્મનો તેને ફરીથી દલદલમાં ન ખેંચી લે. યુએઈએ પણ આવું જ કરવું જોઈએ.