સોમનાથ અમૃત મહોત્સવએ આવનારા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા છે: પ્રધાનમંત્રી મોદી
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સોમનાથ વિરાસતની સ્મારક ટપાલ ટિકિટ અને રૂ. 75ના મૂલ્યના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 1951 માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ સ્વતંત્ર ભારતની સાંસ્કૃતિક ચેતનાનો ઉદઘોષ હતો. સોમનાથ આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે તે પોતાના મૂળિયાં સાથે જોડાયેલું રહે.સોમનાથ પર અનેક આક્રમણો થયા, પરંતુ દર વખતે તે વધુ દિવ્યતા સાથે પુનઃનિર્મિત થયું.