Skip to main content
Settings Settings for Dark

Live TV

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન અર્ચન કરીને રાજ્યના સર્વાંગી કલ્યાણની કરી પ્રાર્થના

મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશ  પાઠવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  મુળુ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી  મયુર ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Gujarati

સ્માર્ટ સિટી સુરતનું સ્માર્ટ મોડેલ: હવે ‘ડાયમંડ સિટી’ બનશે ‘ઝીરો વેસ્ટ સિટી

સુરત હવે માત્ર ‘ડાયમંડ સિટી’ તરીકે નહીં, પણ ‘ઝીરો વેસ્ટ સિટી’ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 'અર્બન ડેવલપમેન્ટ વર્ષ' - શહેરી વિકાસ વર્ષની ઉજવણીના અવસરે સુરત મહાનગરપાલિકાએ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે 'ગ્રીન ગ્રોથ'ને પણ પ્રાથમિકતા આપી છે.વિકાસની હરણફાળ ભરી રહેલું સુરત શહેર હવે પર્યાવરણની જાળવણીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. મહાનગરપાલિકાએ આગામી બે વર્ષમાં શહેરમાંથી નીકળતા ઘન બાંધકામ કચરા (C&D Waste)ના 100 ટકા રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે.

Gujarati

રાષ્ટ્ર નિર્માણ માટે NCC એક મજબૂત પાયો: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ NCC કેડેટ્સ અને અધિકારીઓને અભિનંદન આપ્યા. તેમણે મિત્ર દેશોના કેડેટ્સનું પણ સ્વાગત કર્યું અને તેમની ભાગીદારીને NCCની વૈશ્વિક માન્યતાનું પ્રતીક ગણાવ્યું.

મહિલા કેડેટ્સની ભાગીદારીને પ્રેરણાદાયી ગણાવી

પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે આ વર્ષે રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કેડેટ્સે ભાગ લીધો હતો. તેમણે ખાસ કરીને મહિલા કેડેટ્સને અભિનંદન આપતા કહ્યું કે NCC એક સંગઠન અને ચળવળ છે જે ભારતના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્તબદ્ધ, સંવેદનશીલ અને સમર્પિત નાગરિકોમાં વિકસિત કરે છે.

Gujarati

આદ્યશક્તિના ધામ અંબાજીમાં '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ષ 2008માં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી 2014માં થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 68 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રીએ આ અવસરે ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા તથા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા દેશના શહીદો-વીરો પ્રત્યે ભાવવંદના વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ બ્યુટીફિકેશનના પ્રવાસનલક્ષી મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ બાદ આ રમણીય સરોવર ખાતે વિકસાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ સરોવરના લોકાર્પણની સાથોસાથ અંદાજે ₹26 કરોડના ખર્ચે રાજ્ય સરકારની યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના 9 આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કરી ફ્લેગ-ઑફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.

Gujarati

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે 'વિકાસદીપ' યોજના અંતર્ગત બંદીવાનોના તેજસ્વી સંતાનોનું બહુમાન

આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી 'અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ' તરીકે પસંદગી મેળવી છે.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલએ બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

કેન્દ્રીય મંત્રી સહિત ભાજપના નેતાઓએ અજિત પવારના નિધન પર શોક કર્યો વ્યક્ત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "અજિત પવારનું મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ રાજકારણમાં મારા નજીકના મિત્ર હતા, અને અમારા પારિવારિક સંબંધો પણ હતા. તેમનું નિધન એક મોટું નુકસાન છે. પક્ષ વતી, હું મારી સંવેદના વ્યક્ત કરું છું. હું મારી વ્યક્તિગત અને પાર્ટી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે." કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, "આજે આપણે બધા દુઃખી છીએ. તેઓ મારા નજીકના મિત્ર અને મહારાષ્ટ્રના મહાન નેતા હતા."

Gujarati

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી દરમિયાન જાહેર સભામાં હાજરી આપવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. બારામતી નજીક લેન્ડિંગ કરતી વખતે તેમનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો. પ્રાથમિક માહિતી અનુસાર, લેન્ડિંગ દરમિયાન વિમાન નિયંત્રણ બહાર ગયું, જમીન સાથે અથડાયું અને આગ લાગી ગઈ. અજિત પવાર અને બે ક્રૂ સભ્યો સહિત કુલ પાંચ લોકો વિમાનમાં સવાર હતા.

Gujarati

દેશમાં સામાજિક ન્યાય માટે સરકાર પ્રતિબદ્ધ: રાષ્ટ્રપતિ મુર્મુ

પોતાના સંબોધનની શરૂઆત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને સંસદના આ સત્રને સંબોધિત કરવાનો આનંદ થયો. તેમણે નોંધ્યું હતું કે ભારતની ઝડપી પ્રગતિ અને વારસાની ઉજવણી કરતું પાછલું વર્ષ યાદગાર રહ્યું. દેશ 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે, અને નાગરિકો બંકિમચંદ્ર ચેટરજીને તેમની મહાન પ્રેરણા માટે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સંસદમાં આ વિષય પર વિશેષ ચર્ચા માટે રાષ્ટ્રપતિએ સાંસદોને અભિનંદન આપ્યા.

"એક ભારત, શ્રેષ્ઠ ભારત" ની ભાવનાને મજબૂત બનાવવી

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply