જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રૂ.188 કરોડના નહેર સુધારણા કામોનું કર્યું નિરીક્ષણ
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ યોજનામાં ચાલુ વર્ષે અંદાજિત રૂ. 188 કરોડના ખર્ચે કુલ 60 જેટલા મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે. પ્રગતિમાં રહેલા આ કામો અંતર્ગત મંત્રીએ કામરેજના વાવ અને ઉંભેળ ખાતે સબ માઈનોર નહેરોના લાઈનીંગ વર્ક, બારડોલીના ધામડોદ લુમ્ભા, તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામમાંથી પસાર થતી બ્રાંચ નહેરો અને મેઈન નહેરના લાઈનીંગ તેમજ સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ કર્યું હતું.