કચ્છના નાના રણમાં શિક્ષણની ગુંજ: અગરિયાના બાળકો માટે આશીર્વાદરૂપ બની 'મોબાઈલ રણશાળા'
આ સંજોગોમાં તેમના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા ચાલે છે. ચાલો, મુલાકાત લઈએ આ મોબાઈલ રણશાળાની કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ પરિવારો સાથે સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં તેમના બાળકોનું શિક્ષણ અવરોધાય છે. અગરિયાના બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે રણ વિસ્તારમાં રાજ્ય સરકારના સહયોગથી "મોબાઈલ રણશાળા" ચાલે છે. આ મોબાઈલ રણશાળામાં એલ.ઈ.ડી જેવા આધુનિક સાધનોની મદદથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. મોબાઈલમાં એલ.ઈ.ડી, પંખા અને લાઈટ માટે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રણશાળાઓમાં 'ઇન્ટરેક્ટિવ લર્નિંગ' ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે છે.