પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ રાજકોટમાં કરશે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નું ઉદઘાટન
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી કેન્દ્ર છે. આ કોન્ફરન્સથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મોટું પ્લેટફોર્મ મળશે અને આગામી દિવસોમાં આ પ્રદેશમાં મોટાપાયે નવું રોકાણ આવશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા બાદ આ બીજી સફળ રિજનલ કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં થઈ રહ્યું છે.