Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી 6ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી. મુખ્યમંત્રીએ 10,453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

Gujarati

દિવેલાના ઊભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર

જે અંતર્ગત ચાલુ સિઝનમાં દિવેલાના ઉભા પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવને અટકાવવા વિવિધ પગલા લેવા જણાવવામાં આવ્યું છે. 

દિવેલાના ઊભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્વવ ઘટાડવા અંગે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા

•    કાતરા અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો.  

Gujarati

રાજ્યમાં ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતી 2 ઓક્ટોબર 2025 થી 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે. 

Gujarati

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત નેચરલ ફાર્મિંગ - પી.જી.એસ. સર્ટીફિકેશન અંગે ગાંધીનગર ખાતે તાલીમ યોજાઈ

નેચરલ ફાર્મિંગ તેમજ સજીવ ખેતી માટે પી.જી.એસ- ગ્રુપ સર્ટિફીકેશન માટે તા.29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના અવિરત પ્રયત્નોના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદનો, અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો સ્થાનિક ગ્રાહકોને સર્ટીફાઇડ કરેલા મળે તે માટે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નેચરલ ફાર્મિગ સર્ટિફીકેશન જાહેર કર્યું છે. 
 

Gujarati

ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન

આ પહેલના ભાગરૂપે, દેશભરમાં 58 સેન્ટર ઑફ એક્સેલન્સ (CoEs)ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ, તો રાજ્યમાં ફળો અને શાકભાજી માટે 4 સેન્ટર ઑફ એક્સેલન્સ છે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના માટે ઇઝરાયલ, નેધરલેન્ડ્સ, ન્યુઝીલેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગ કરાર કર્યો છે. આ ઉપરાંત, ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), દિલ્હી જેવી ભારતીય સંશોધન સંસ્થાઓની મદદથી પણ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે.

ભારતના બાગાયત ક્ષેત્રમાં પરિવર્તનનું માધ્યમ બન્યા સેન્ટર ઑફ એક્સેલન્સ

Gujarati

'આદિ કર્મયોગી અભિયાન’ અંતર્ગત આદિવાસી ગામોમાં ‘આદિ સેવા કેન્દ્ર’ સ્થાપિત કરાયા

આ ઉજવણી અંતર્ગત દરેક આદિવાસી ગામોમાં આદિજાતિ વિકાસ વિભાગ અને લાઈન ડિપાર્ટમેન્ટ જેવા કે આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, વન- પર્યાવરણ , મહિલા અને બાળ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સેનિટેશન વગેરે વિભાગના કર્મચારી અને અધિકારીઓ સાથે મળીને આદિવાસી ગામડાઓમાં જઈને ગામજનોની સાથે મળીને 'વિલેજ વિઝન બિલ્ડીંગ અને વિલેજ એક્શન પ્લાન' તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમ, ગુજરાત આદિવાસી સંશોધન-તાલીમ સોસાયટી ગાંધીનગરના ડાયરેકટર ડૉ.સી.સી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે. 

Gujarati

ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ કર્યો શોક વ્યક્ત

ડિસેમ્બર 1931માં લાહોરમાં જન્મેલા વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીમાંથી પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ  1972 થી 1975 દરમિયાન દિલ્હી જનસંઘના અધ્યક્ષ હતા અને ત્યારબાદ બે વખત ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ 1977-80 અને 1980-84ના પદ પર પણ રહ્યા હતા.

AIIMS દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, "93 વર્ષીય વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાને AIIMS, નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 30 સપ્ટેમ્બર,2025ની સવારે તેમનું નિધન થયું છે."

પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લાઠી ખાતેના સંતોકબા મેડિકલ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું કર્યું નિરીક્ષણ

રાજ્યપાલએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન લેબોરેટરી, એક્સ રે, ઓ.પી. ડી. રૂમ, ફિઝિયોથેરાપી સહિતના વિભાગની આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ વિગતો જાણી હતી, સાથે જ દર્દીઓ અને તબીબી સ્ટાફના પ્રતિભાવો મેળવી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલએ પ્રસાદ સેવા પૂરી પાડતાં રસોડા વિભાગના કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરીને તેમના સેવાકીય કાર્યને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Gujarati

આઠમા નોરતે ગાંધીનગરના કેસરિયા ગરબામાં દિવ્ય મહાઆરતી યોજાઇ

આઠમા નોરતે કેસરિયા ગરબા ગાંધીનગરના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના ચેરમેન જય શાહ અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 42 હજાર સ્થળોએ સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત

ગયા વર્ષથી લાગુ કરાયેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 24 હજારથી વધુ ગ્રાહકોને રૂપિયા 180 કરોડની સબસિડી આપવામાં આવી છે. રાજ્યના ઊર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમરે ગ્રાહકોને પર્યાવરણ સંરક્ષણ અને બિલમાં બચત જેવા પ્રેરક કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા છે.

મધ્ય પ્રદેશ પશ્ચિમ ક્ષેત્ર વિદ્યુત વિતરણ કંપની, ઇન્દોરના મેનેજિંગ ડિરેક્ટર અનૂપ કુમાર સિંહે જણાવ્યું કે 'સેવા પર્વ' દરમિયાન 15 જિલ્લાઓમાં અભિયાન ચલાવીને હજારો નવા ગ્રાહકોને યોજના સાથે જોડવામાં આવ્યા. આ દરમિયાન જનપ્રતિનિધિઓને માહિતી આપવામાં આવી અને વાહનો દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય પ્રચાર પણ કરવામાં આવ્યો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply