‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહની સફળ ઉજવણી: 10 હજારથી વધુ નાગરિકો સહભાગી
આ સપ્તાહ દરમિયાન, 10 હજારથી વધુ વન્યજીવ અને પર્યાવરણપ્રેમી નાગરિકોએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તથા અરણ્ય ઉદ્યાન ખાતેની ઉજવણીમાં સહભાગી થઈ પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો.
માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ સેમિનારમાં વિશેષ રજૂઆત
વન્યજીવ સપ્તાહની ઉજવણીના અંતિમ કાર્યક્રમ તરીકે, તા. 8 ઓક્ટોબર 2025ના રોજ કોલેજના વિદ્યાર્થીઓ માટે માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.