વિધાનસભા પોડિયમમાં સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીને જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વિચારક અને શિક્ષણવિદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રખર રાષ્ટ્રવાદી સ્વર્ગસ્થ શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમ ખાતે સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી અને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.