અરબી સમુદ્ર : નૌકાદળે જહાજ પર લાગેલી આગ બુઝાવી, 14 ભારતીયોને બચાવ્યા
ઉત્તર અરબી સમુદ્રમાં પલાઉ-ધ્વજવાળા ટેન્કર એમટી યી ચેંગ 6 માં આગ લાગી હતી. આ મોટી આગ દરમિયાન, નૌકાદળે જોખમી અગ્નિશામક અને બચાવ કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી હતી.નૌકાદળે આ કામગીરીમાં દરિયાઈ ટેન્કર પરના તમામ 14 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. નૌકાદળના જણાવ્યા અનુસાર, 29 જૂનની સવારે, મિશન-આધારિત તૈનાત પર રહેલા આઈએનએસ તબરને એમટી યી ચેંગ 6 તરફથી 'મેડે' (ઇમર્જન્સી) કોલ મળ્યો હતો. જહાજે તેના એન્જિન રૂમમાં ભારે આગની જાણ કરી હતી.