મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિહાર વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને તેનો લાભ બિહારના જન જન સુધી પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એન.ડી.એ.ની સરકારની વિકાસલક્ષી નીતિઓના કારણે બિહારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એટલું જ નહિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ડબલ સ્પીડથી થયો છે અને બિહારને વધુ સુદ્રઢ કનેક્ટિવિટી મળી છે.