Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળ સંગ્રહ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે,તા.11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો તેમ,જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

Gujarati

ગુજરાત વિદ્યાપીઠમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે નવપ્રવેશિત વિદ્યાર્થીઓનો દીક્ષારંભ સમારોહ યોજાયો

ગુરુપૂર્ણિમાના પાવન અવસરેઆ સમારોહમાં નવપ્રવેશિત વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. રાજ્યપાલએ આ અવસરે જણાવ્યું કે, ગાંધીજી કહેતા કે 'મારું જીવન જ મારો સંદેશ છે'. કોઈ વ્યક્તિના જીવનમાં આનાથી મોટી પારદર્શિતા ન હોઈ શકે. બાપુએ હજારો લોકોને પ્રભાવિત કર્યા અને એ પરંપરામાં ઘણા લોકો આગળ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા, મહાદેવ દેસાઈ તેમાંના એક હતા. 

Gujarati

ગુરુ પૂર્ણિમા પર, અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસીમાં ભેગા થયેલા ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

અયોધ્યાનો સરયુ કિનારો હોય, પ્રયાગરાજનો ત્રિવેણી સંગમ હોય કે કાશીનો ગંગા ઘાટ હોય, દરેક જગ્યાએ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ સ્નાન, પૂજા અને ગુરુ વંદના દ્વારા પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી.

આ વખતે અયોધ્યા ધામમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક હતો

Gujarati

26/11મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી 13 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી, ચાલુ છે તપાસ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 2012માં રાણા વિરુદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી, ત્યારબાદ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ નવી ચાર્જશીટમાં તેમનો ધરપકડ મેમો, જપ્તી મેમો અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ શામેલ છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય પ્રવાસી પ્રત્યે આદર વધ્યો : ગાયિકા મીતા રવિન્દ્ર કુમાર કરાહે

આ બધું ફક્ત વડા પ્રધાન મોદીના કરિશ્માઈ નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે અને પરિણામે, આપણને ભારતીયો તરફ જોવાની રીત પણ બદલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં રહેતા ભારતીયોને જોવાની રીત બદલાઈ ગઈ છે. તેણીએ કહ્યું કે હું છેલ્લા 53 વર્ષથી બ્રાઝિલમાં રહું છું. હું 1973 માં અહીં આવી હતી અને મને લાગ્યું છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં રહેતા ભારતીયોને જોવાની રીત બદલાઈ ગઈ છે. આજે લોકો ભારતીયોને આદરથી જોઈ રહ્યા છે.

ભારત અને બ્રાઝિલની સંસ્કૃતિઓ ખૂબ સમાન છે

Gujarati

ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું ઇચ્છનીય હોઈ આજથી તા.9 જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર  રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.પ્રતિબંધીત રૂટ જોઈએ તો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો છે.

Gujarati

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આજદિન સુધી થયેલ ડીએનએ મેચના તમામ નશ્વર માનવ અવશેષોની અંતિમ વિધિ સંપન્ન

ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગોની ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે. સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ 26 જેટલા મૃતકોના મોર્ટલ રીમેન્સ (નશ્વર અવશેષો) મળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Gujarati

નવસારી : નેશનલ હાઇવે નં.48 નો ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમે હાથ ધર્યું 

આ ક્ષતિગ્રસ્ત હિસ્સાનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમે હાથ ધર્યું છે. વરસાદ ઓછો થતાં પેચવર્ક અને જરૂરી રીપેરીંગની કામગીરી વિવિધ એજન્સીઓ દ્વારા કરાઈ છે. એજન્સીઓની કામગીરી બાદ હાઇવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Gujarati

બ્રાઝિલિયામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ

જ્યારે પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલિયાના બ્રાઝિલિયામાં અલ્વોરાડા પેલેસ પહોંચ્યા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ અલ્વોરાડા પેલેસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ગાર્ડ ઓફ ઓનર પછી, ભારતીય શાસ્ત્રીય ભજન સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.

Gujarati

ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં ભારે વધારો, 2017 થી 145%નો વધારો

સરકારે માહિતી આપી હતી કે 2017માં 5.15 લાખથી વધુ કરદાતાઓ હતા, પરંતુ હવે નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં રાજ્યમાં 12.66 લાખ નોંધાયેલા કરદાતાઓ છે.

GST લાગુ થયા પછી, ગુજરાત કર પાલન, મહેસૂલ વૃદ્ધિ અને ડિજિટલ એકીકરણના સંદર્ભમાં ભારતમાં ટોચનું પ્રદર્શન કરતા રાજ્યોમાંનું એક તરીકે ઉભરી આવ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply