Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, સરકારના વિરોધમાં ઉગ્ર વિરોધ

કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિ પણ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત કરશે. આ સમિતિમાં ભાજપના સાંસદ સતપાલ સિંહ, રાજ્યમંત્રી મીનાક્ષી લેખી, ભાજપ નેતા વિપ્લવ કુમાર અને મનન કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સમિતિમાં સામેલ નેતાઓ કાયદાઓના જાણકાર છે. આ સમિતિનો ઉદ્દેશ સમગ્ર મામલે સત્ય-તથ્યની જાણકારી મેળવવાનો છે. આ પહેલા ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આરોપીની ટાઈમલાઈન દર્શાવતા પશ્ચિમ બંગાળની સરકાર પર પ્રશ્નો ઉભા કર્યા હતા. સાથે જ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતું.

Gujarati

કૈલાસ માનસરોવર યાત્રા પાંચ વર્ષ બાદ આજથી શરૂ, યાત્રીઓમાં ઉત્સાહ

કૈલાસ માનસરોવર યાત્રા પાંચ વર્ષ બાદ આજથી શરૂ થઈ રહી છે. કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં આ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે આ યાત્રા સિક્કિમના નાથુલા પાસ અને ઉત્તરાખંડના લિપુલેખ પાસના માર્ગ દ્વારા આયોજિત કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યાત્રા જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચાલુ રહેશે. કૈલાસ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. સિક્કિમ સરકાર યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનુકૂલન કેન્દ્રો સહિતના માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. આ ધાર્મિક યાત્રા માટે યાત્રીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 30 જૂનથી લઇને ઓગષ્ટ મહિના સુધી આ યાત્રા ચાલશે.

Gujarati

હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી, ચારધામ યાત્રા અટકી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આખા દેશમાં ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગે રવિવારે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે, ભીષણ ગરમીથી પરેશાન લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તે જ સમયે, દેશના ઘણા ભાગોમાં અચાનક ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. પરિસ્થિતિ એવી છે કે, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી વાદળ ફાટવા, ભૂસ્ખલન અને વહેતી નદીઓના ચિત્રોએ લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઇવે સહિત 72 રોડ બંધ કરવા પડયા હતા, ચારધામ યાત્રા પણ 24 કલાક માટે અટકી ગઈ હતી.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર હાજર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત

આ વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું અને કહ્યું કે તેમની યાત્રા એક નવા યુગની શુભ શરૂઆત છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS) માં જનારા પ્રથમ ભારતીયે આ સિદ્ધિને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી. વાતચીતના અંતે, તેમણે કહ્યું, "અવકાશથી ભારત માતા કી જય".પ્રધાનમંત્રી મોદીએ શુભાંશુ શુક્લાને કહ્યું, "તમે ભારતભૂમિથી દૂર છો, પરંતુ ભારતીયોના હૃદયની સૌથી નજીક છો. તમારા નામમાં શુભ છે અને તમારી યાત્રા પણ એક નવા યુગની શુભ શરૂઆત છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સોમવાર તા. 30 જૂન, 2025ના રોજ યોજાશે

સમગ્ર રાજ્યમાં આગામી ગુરુવાર તા. 26 થી શનિવાર 28 જૂન દરમિયાનના શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ને અનુલક્ષીને જૂન મહિનાનો રાજ્ય સ્વાગત આગામી તારીખ 30 જૂન, સામવારે યોજાશે, તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે. નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સોમવાર, તા. 30મી જૂનના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 

Gujarati

IPS પરાગ જૈન RAWના નવા વડા બન્યા,1 જુલાઈથી કાર્યભાર સંભાળશે

તેઓ વર્તમાન વડા રવિ સિંહાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 30 જૂન, 2025 ના રોજ સમાપ્ત થાય છે. પરાગ જૈન 1 જુલાઈથી બે વર્ષ માટે આ જવાબદારી સંભાળશે. પરાગ જૈનને આતંકવાદ વિરોધી નિષ્ણાત માનવામાં આવે છે, ખાસ કરીને અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્રમાં તેમની ઊંડી સમજ અને પકડ. સરહદ પારના આતંકવાદી નેટવર્કને સમજવા અને ડીકોડ કરવામાં તેમની કુશળતાને કારણે તેમને RAW ના આગામી વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે અને 'ઓપરેશન સિંદૂર' હેઠળ ગુપ્તચર પ્રયાસોને સફળતાપૂર્વક ચલાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા આર.ઈ. પાર્કની મુલાકાત લઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ

આ તકે મુખ્યમંત્રીએ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાનાં ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીનઉર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું.ગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ 2020માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું.અંદાજે 800  સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધિન આ પાર્કમાં વર્ષ 2028 સુધીમાં 37 ગીગાવોટ 100 ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.‌

Gujarati

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, પાવાગઢ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગે ભારે પવન અને વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, પાવાગઢ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પાડ્યો હતો.જિલ્લામાં બપોરના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. દિવસભરના ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.ઘોઘંબા જાંબુઘોડામાં પંથકમા ધોધમાર વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી જેમ  પાણી વહેતા થયા હતા.વરસાદને લઈ પગથિયાં ઉપર ખળ ખળ વહેતા ઝરણા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

Gujarati

વડોદરામાં રોબોટિક રથયાત્રા : ટેક્નોલોજી અને ભક્તિનો અનોખો મેળાપ

વડોદરામાં આજની પવિત્ર અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે યોજાઈ હતી .શહેરના યુવા જય મકવાણાના ઉત્સાહભર્યા પ્રયાસથી સતત 12મા વર્ષે આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય રૂપે, મોબાઈલ ઓપરેટેડ રોબોટિક રથ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજી બિરાજમાન થયા. જય મકવાણાના નિવાસસ્થાનેથી શરૂ થયેલી યાત્રામાં તેમના પરિવારજનો, શ્રદ્ધાળુઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. યાત્રા દરમિયાન ભક્તોએ નૃત્ય અને કીર્તન સેવા દ્વારા પ્રભુને અર્પણ અર્પણ કરી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply