ભારત-યુકે વેપાર કરાર સહિયારા વિકાસ માટેનો રોડમેપ: પ્રધાનમંત્રી મોદી
દેશની નાણાકીય રાજધાની મુંબઈમાં ભારત-યુકે CEO ફોરમને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપાર હાલમાં આશરે $56 બિલિયન છે. તેમણે કહ્યું કે બંને દેશોએ 2050 સુધીમાં આ વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે ભારત રોકાણ માટે એક આદર્શ સ્થળ છે, જેમાં રાજકીય સ્થિરતા અને વ્યાપક માંગ છે, જે માળખાગત સુવિધાઓ, નાણાં, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર તકો પ્રદાન કરે છે.