વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ રથયાત્રા આજથી શરૂ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી. તેમણે દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના રોજ X પર કહ્યું, "ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે, એ મારી કામના છે. જય જગન્નાથ!"