દિલ્હીમાં કોવિડ-૧૯ એલર્ટ : આરોગ્ય મંત્રીએ હોસ્પિટલોને સતર્ક રહેવા સૂચના
તેમણે એમ પણ કહ્યું કે આ ચેપગ્રસ્ત લોકો દિલ્હીના રહેવાસી છે કે બહારથી આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, તેમણે રાજધાનીના નાગરિકોને કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે દિલ્હી સરકાર અને તમામ સરકારી હોસ્પિટલો કોવિડનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે હોસ્પિટલોના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય આરોગ્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.આ સાથે, મંત્રી પંકજ સિંહે એ પણ જાહેરાત કરી કે આગામી 100 દિવસમાં, દિલ્હીના લોકોને 39 નવા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો આપવામાં આવશે, જેનાથી આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત થશે.