જાપાનમાં ભારે હિમવર્ષાથી તબાહી, 35 લોકોના મોત અને સેંકડો ઘાયલ
ભારે હિમવર્ષાને કારણે 15 પ્રીફેક્ચર પ્રભાવિત થયા છે. 1,700 થી વધુ ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, અને આઓમોરીમાં બુલેટ ટ્રેન સહિત અનેક રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. શાળાઓ બંધ કરવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી જારી કરી છે કે બરફ પીગળતાં ભૂસ્ખલન વધવાની શક્યતા છે.હકીકતમાં, 20 જાન્યુઆરીથી જાપાનમાં શરૂ થયેલી ભારે હિમવર્ષામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે અને 358 થી વધુ ઘાયલ થયા છે. અહેવાલો દર્શાવે છે કે નિગાતા, અકીતા, યામાગાતા, હોક્કાઇડો અને આઓમોરી સહિત અનેક પ્રીફેક્ચરોમાં મૃત્યુ નોંધાયા છે.