અંબાજી: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ, શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યુ
મહોત્સવના બીજા દિવસે આજે ભક્તિમય માહોલમાં ચામર યાત્રા અને પાદુકા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.આ મહોત્સવની ખાસિયત એ છે કે અહીં 51 શક્તિપીઠોમાં વિદેશમાં સ્થાપિત 4 મુખ્ય શક્તિપીઠોના મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ખાસ કરીને વિદેશમાં આવેલા આ શક્તિપીઠોના દર્શન અંબાજીમાં જ કરી શકતા હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગબ્બર પરિક્રમાનો 2.5 કિમીનો પદયાત્રા માર્ગ ભક્તો કોઈપણ વિઘ્ન વગર આરામથી કાપી રહ્યા છે.