Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારત ખાનગી અવકાશ ક્ષેત્રમાં ઇતિહાસ રચવા માટે તૈયાર; પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' લોન્ચ થશે

'આરંભ' નામના આ મિશનનું લોન્ચિંગ શનિવારે સવારે 11:30 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR) ખાતેના ફર્સ્ટ લોન્ચ પેડથી થવાનું છે.

Gujarati

ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે ‘IN/OUT રજીસ્ટ્રેશન સિસ્ટમ’ અમલી: આજથી પ્રાયોગિક શરૂઆત

રજીસ્ટ્રેશન પ્રક્રિયા નવી સીડી, જૂની સીડી કે રોપવે માર્ગે જતા યાત્રાળુઓએ પર્વત પર ચઢતી વખતે QR કોડ સ્કેન કરી 'IN' એન્ટ્રી અને પરત ફરતી વખતે 'OUT' એન્ટ્રી કરાવવાની રહેશે.રજીસ્ટ્રેશન માટે https://Register.bhavnathtemple.com લિંકનો ઉપયોગ કરવાનો રહેશે.

Gujarati

નવી દિલ્હીમાં પ્રથમ ‘ઓલ ઈન્ડિયા મીડિયા કોન્ફરન્સ’: ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ભાર

"Connecting stakeholders, strengthening democracy" થીમ હેઠળ યોજાયેલી આ પરિષદમાં દેશભરમાંથી 380થી વધુ મીડિયા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 95 કરોડ મતદારો ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ માટે 12 લાખથી વધુ BLO અને15 લાખથી વધુ BLA 'સમવર્તી ઓડિટર્સ' (Concurrent Audit) તરીકે અવિરત કાર્યરત છે.

Gujarati

ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) નિકાસ અને ઉદ્યોગોને મોટો વેગ આપશે: નાબાર્ડ ચેરમેન

ગુરુવારે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) ના અધ્યક્ષ ડૉ. શાજી કૃષ્ણન વી દ્વારા આ વાત કહેવામાં આવી હતી.IANS સાથે વાત કરતા, નાબાર્ડ ચેરમેને કહ્યું કે આ કરાર બંને દેશો માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે તે ઘણા ભારતીય ઉત્પાદનોને શૂન્ય-ડ્યુટી બજાર ઍક્સેસ પ્રદાન કરશે, જ્યારે અન્ય પર ડ્યુટી ઘટાડશે.તેમણે કહ્યું, "આર્થિક દ્રષ્ટિકોણથી, આ કરાર ભારતની નિકાસને વેગ આપશે, કારણ કે ઘણા ઉત્પાદનોને શૂન્ય-ડ્યુટી ઍક્સેસ મળશે અને અન્યને ઓછી ડ્યુટી જોવા મળશે. વધુ અગત્યનું, તે વેપાર, રોકાણ, સેવાઓ અને ટેકનોલોજીને આવરી લેતો વ્યાપક કરાર છે."

Gujarati

ભરૂચ: પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, ખેડૂતો અને ગ્રાહકોને થશે સીધો લાભ

આ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનો વાજબી ભાવ મળશે અને નાગરિકોને ઝેરમુક્ત શુદ્ધ ખેત પેદાશો મળી રહેશે.સીધો સેતુ આત્મા પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલા આ કેન્દ્રો ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બનશે.

Gujarati

‘સ્વચ્છ વલસાડ’ અભિયાન: જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનનો જનભાગીદારી માટે અનુરોધ

તેમણે સ્વચ્છતાને માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન બનાવવા પર ભાર મૂક્યો છે.જવાબદારીનું વહન વલસાડ શહેર, વાપી મહાનગરપાલિકા વિસ્તાર તેમજ ધરમપુર, કપરાડા સહિતના તમામ નગરોમાં કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે માત્ર કચરાપેટીમાં જ નાખવા નાગરિકોને તાકીદ કરવામાં આવી છે.પ્લાસ્ટિક મુક્તિ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા અને પ્લાસ્ટિકના અન્ય પ્રકારોનો ઉપયોગ પણ ન્યૂનતમ કરવા નાગરિકોને અનુરોધ કરાયો છે.સામૂહિક પ્રયાસ વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સહયોગથી જિલ્લાને હરિયાળું અને સુંદર બનાવવા પર ભાર મૂક્યો છે.કલેક્ટરએ જણાવ્યું હતું કે, "સ્વચ્છ વલસાડ"નું સ્વપ્ન ત્યારે જ

Gujarati

NHAI રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાળવણી માટે લાગુ કરે છે વ્યાવસાયિક વ્યવસ્થાપન પ્રણાલી

NHAI દ્વારા પ્રાયોજિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઇન્ફ્રા ટ્રસ્ટ (NHIT) એ તેના હાઇવે નેટવર્કને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે જનરલ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ (GMCs) ની નિમણૂક કરી છે.NHIT ઓક્ટોબર 2020 માં SEBI હેઠળ નોંધાયેલ હતું અને હાલમાં 2,653 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સંચાલન કરે છે. પ્રથમ તબક્કામાં, 908 કિલોમીટર હાઇવેનું સંચાલન GMCs દ્વારા કરવામાં આવશે.

Gujarati

આરોગ્ય વિશેષ: રોજની એક મુઠ્ઠી અખરોટ - મેદસ્વિતા અને હૃદયના સ્વાસ્થ્યનો કુદરતી સાથી

વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે, આ સમસ્યા ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું મુખ્ય કારણ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ સમસ્યાના નિવારણમાં દૈનિક આહારમાં 'અખરોટ'નો સમાવેશ અત્યંત લાભદાયી છે.વજન નિયંત્રણ અખરોટમાં રહેલા ફાઈબર અને પ્રોટીન પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે, જેથી વધારાની કેલરી લેવાની ટેવ ઘટે છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 'કૌશલ્ય વિકાસ ભવન'નું કર્યુ ભૂમિપૂજન

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત તેમજ ઉદ્યોગ વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રસંગે અખિલ ભારતીય સંયોજક (હિન્દુ ધર્માચાર્ય સભા)ના પરમ પૂજ્ય સ્વામી પરામાનંદ સરસ્વતીજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા.નવીન ભવનના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનાર દાતાઓઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત તેમજ ઉદ્યોગ વિકાસ પરિષદના  ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, અષાઢી બીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રીના હસ્તે કરાયેલ નવીન કૌશલ્ય વિકાસ ભવન આવનારા સમયમાં આપણા દેશના યુવાનો અને લઘુ ઉદ્યોગો માટે પ્રગતિનું એક નવું દ્વાર બનશે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાની નગરચર્યાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

મુખ્યમંત્રીએ સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ મહાનિદેશક  જી.એસ. મલિક, તેમજ પોલીસ તથા મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply