ગીરમાં સિંહોના મોત બાદ વન વિભાગ એલર્ટ મોડ પર
છેલ્લા કેટલાક દિવસોમાં આઠ સિંહોના મોત થતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે PMO દ્વારા પણ સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ ગીર પહોંચી તપાસ અને સમીક્ષા કરી રહી છે.ભાવનગર જિલ્લામાં હાલમાં અંદાજે 118 સિંહો નોંધાયેલા છે, જેમાંથી લગભગ 50 જેટલા સિંહોનો કાયમી વસવાટ હોવાનું માનવામાં આવે છે. આ તમામ સિંહો પર વન વિભાગ દ્વારા વિશેષ મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.વિભાગ દ્વારા અત્યાર સુધી 19 સિંહોને જરૂરી રસી આપવામાં આવી છે જ્યારે અન્ય સિંહો માટે પશુચિકિત્સકોની ટીમ સતત કામગીરી કરી રહી છે.