Skip to main content
Settings Settings for Dark

Live TV

X

બુલેટ ટ્રેન રૂટ પર 2500 ગરીબોના મોતિયાના મફત ઓપરેશન કરાશે: NHSRCL અને BPA વચ્ચે MoU

આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ ગરીબો માટે 2500 જેટલા મોતિયાના મફત ઓપરેશન કરવામાં આવશે. 25 મે 2026 ના રોજ ચીફ પ્રોજેક્ટ મેનેજર રાજેશ અગ્રવાલ, BPA ના જનરલ સેક્રેટરી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નંદિની રાવલની ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયા હતા.આ માનવતાવાદી પ્રોજેક્ટ હેઠળ પોરેચા આંખની હોસ્પિટલની સુસજ્જ મોબાઈલ વાન આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, ભરૂચ અને સુરતની આસપાસના ગામડાઓમાં જઈને લોકોની આંખોની તપાસ કરશે અને મફત દવાઓ આપશે. જે દર્દીઓને ઓપરેશનની જરૂર જણાશે, તેમને પોરેચા આંખની હોસ્પિટલ ખાતે લાવીને સર્જરી કરવામાં આવશે.

Gujarati

પારદર્શિતા લાવવા માટે અંબાજી મંદિરમાં ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ શરૂ

ભંડાર કક્ષની આ સઘન કામગીરીને ૨૦ સીસીટીવી કેમેરા દ્વારા આવરી લેવામાં આવી છે, જેનું સીધું પ્રસારણ મંદિર પરિસરમાં મૂકવામાં આવેલી એલઈડી (LED) સ્ક્રીન પર જોઈ શકાય છે.ભંડાર ગણતરી દરમિયાન રૂમનો દરેક ખૂણો કેમેરામાં કવર થાય તે રીતે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ભંડાર કક્ષમાં અવરજવર કરતા તમામ કર્મચારીઓનું એસઆરપી (SRP) ના જવાનો દ્વારા કડક 'ઇન-આઉટ' ચેકિંગ કરવામાં આવે છે. મંદિર તંત્રના આ કડક પગલાંને કારણે હવે સામાન્ય ભક્તો પણ ભંડાર ગણતરીની સમગ્ર પ્રક્રિયાને પ્રત્યક્ષ નિહાળી શકશે.

Gujarati

વીડિયો કોન્ફરન્સિંગ (ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર) સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા રાજ્યના પોલીસ વડાનો અનુરોધ

આ સુવિધા અંતર્ગત આજે રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે પોતે આ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ સમાજ અને પોલીસ વિભાગ સમક્ષ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ વર્ષ 2021ના એક એસીબી (ACB)ના કેસમાં પ્રોસિક્યુશન મંજૂરી આપવા અનુસંધાને આજે મહત્વની જુબાની આપવા માટે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેસની સુનાવણી કચ્છ-ગાંધીધામની કોર્ટમાં ચાલી રહી હોય, DGPએ ગાંધીનગરથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા કચ્છની કોર્ટમાં હાજર થઈને પોતાની જુબાની નોંધાવી હતી.

Gujarati

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર કડક પ્રતિબંધ: જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ સમગ્ર જિલ્લામાં પૂર્વ મંજૂરી વગર ડ્રોન, પેરાગ્લાઇડર કે અન્ય કોઈપણ ઉડતા સાધનો ઉડાડવા પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ આદેશ 23 જુલાઈ સુધી સમગ્ર જિલ્લામાં અમલી રહેશે.

Gujarati

પ્રાકૃતિક ખેતી જ આવનારી પેઢી માટે સુરક્ષા કવચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

નવા કાંસિયાની શાળામાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેમણે ખેડૂતો સાથે સહજ સંવાદ સાધ્યો હતો.રાજ્યપાલે જણાવ્યું હતું કે, વધુ ઉત્પાદનની લ્હાયમાં યુરિયા અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી ધરતી ઝેરી બની રહી છે. પ્રાકૃતિક ખેતી એ 'ઝીરો બજેટ' ખેતી છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. તેમણે હરિયાણાના ગુરુકુલ કુરુક્ષેત્રનું ઉદાહરણ આપી ઉત્પાદન ઘટવાની ભ્રાંતિ દૂર કરવા ખેડૂતોને સફળ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લેવા સૂચવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Gujarati

મે-2026નો મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શુક્રવાર તા.29 મે ના રોજ યોજાશે

રાજ્ય સરકારે ગુરૂવાર તા. 28મી મે ના જાહેર કરેલી બકરી ઈદની જાહેર રજાના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મે-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે 29મી મે એ યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કર્તાઓ તા. 29/05/2026ને શુક્રવારે સવારે 8.00થી 11.30 સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે તા. 29 મે ના બપોર બાદ  આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે તેમજ આવી રજૂઆતોના નિવારણ-ઉકેલ માટે તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે.
 

Gujarati

નવા ચૂંટાયેલા ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા

આ શપથ વિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ,વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય મંત્રી મંડળના સભ્યઓ,ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ‘ગ્રામ કલ્યાણ’ માટે ટ્રેન પ્રવાસ: અમદાવાદથી ભરૂચ સુધીની સફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવેલા આર્થિક આત્મરક્ષાના મંત્રને ચરિતાર્થ કરતા રાજ્યપાલએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભરૂચ જિલ્લાના બે દિવસીય પ્રવાસે જવા માટે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેન મારફત મુસાફરી કરી હતી.

Gujarati

ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન દક્ષિણ ભારતનું ભ્રમણ કરી સફળતાપૂર્વક પરત ફરી

આ માહિતી જાહેર કરતા, IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે ગુજરાત અને અન્ય રાજ્યોના 335 યાત્રાળુઓ તિરુપતિ બાલાજી, રામેશ્વરમ જ્યોતિર્લિંગ, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આ ખાસ દક્ષિણ ભારત યાત્રા ટ્રેનમાં સવાર થયા હતા. બધા યાત્રાળુઓ તેમની યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા છે. ટ્રેન સફળતાપૂર્વક અમદાવાદ અને રાજકોટ પરત ફરી.આ યાત્રા દરમિયાન, બધા યાત્રાળુઓના ભોજન અને રહેવાની વ્યવસ્થા તેમજ તેમના સ્વાસ્થ્ય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Gujarati

ગુજરાતમાં ભરતીમેળાઓ થકી છેલ્લા 5 વર્ષમાં 6.54લાખથી વધુ યુવાનોને મળી રોજગારી

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં (વર્ષ 2021-22 થી 2025-26)માં રોજગાર ભરતીમેળાઓ થકી કુલ 6.54 લાખ કરતાં વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ મળી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ રોજગારી પૂરી પાડવા માટે સરકાર દ્વારા રાજ્યભરમાં 7,403 જેટલા મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply