પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સુરતની મુલાકાતે: દક્ષિણ ગુજરાતને રૂ. 12,421 કરોડના વિકાસકાર્યોની ભેટ
આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતના વિકાસને વેગ આપતા કુલ રૂ. 12 ,421 કરોડના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.પ્રધાનમંત્રીના હસ્તે રૂ. 7, 689 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે મહત્વપૂર્ણ પેકેજ (કીમ-એના અને ગણદેવા-એના સેક્શન)નું લોકાર્પણ થશે. કુલ 63.50 કિલોમીટર લાંબા આ 8-લેન માર્ગ પર 70 અંડરપાસ અને ૨ ઇન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટથી માલસામાનની અવરજવર ઝડપી બનશે અને લૉજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.આ ઉપરાંત, રૂ.