પ્રાકૃતિક ખેતી એ જ ભવિષ્યની સુરક્ષા: ઉમરગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આહવાન
તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને માનવજાત કેન્સર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને માનવજાત કેન્સર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહી છે.
આ બેઠકમાં પ્રભારી સચિવએ માર્ગ અને મકાન, પુરવઠા, સમાજ કલ્યાણ તેમજ મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠક દરમિયાન જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાન તેમજ મહિલાઓના આરોગ્ય અને સુરક્ષાલક્ષી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અપડેશન અને પ્રી-મોન્સૂન કામગીરી બાબતે જરૂરી ચર્ચા કરાઈ હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળતા માર્કેટીંગ પ્લેટફોર્મ થકી તેમને ઓળખ મળતા તેમની સિમિત આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ અંગે જેબુનીશાબેન ખત્રી જણાવે છે કે, બંધેજનું કામ અમારા લોહીમાં છે. અમારી ચાર પેઢી બાંધણીની કલા-કારીગરી સાથે સંકળાયેલી છે. સાડી, દુપટ્ટા, ડ્રેસ, કુર્તા જેવી અનેક વેરાયટી અમે બનાવીએ છીએ. કંઇક આવક થઇ શકે તે માટે હું ઘર બેઠા જ આ બધી પ્રોડક્ટનું વેંચાણ કરતી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા તથા કારીગરોને અપાતા યોજનાકીય પ્રોત્સાહન થકી મને પણ ખૂબ લાભ થયો છે. ઘરની ચાર દિવાલ બહાર નીકળીને આજે હું મારા નાનકડા બિઝનેસ દેશના વિવિધ રાજ્યોના ગ્રાહકો સુધી લઇ જઇ શકી છું.
તે ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ક્વોલિફાયર બની. ચ્વાલિન્સ્કાએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં નવ મેચ જીતી છે, જેમાં ક્વોલિફાયર રાઉન્ડમાં ત્રણ અને મુખ્ય ડ્રોમાં છનો સમાવેશ થાય છે. તે ઓપન યુગમાં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચનારી માત્ર બીજી ક્વોલિફાયર છે. અગાઉ, બ્રિટનની એમ્મા રાદુકાનુએ 2021 યુએસ ઓપનમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને ટાઇટલ પણ જીત્યું હતું.
શાનદાર સેમિફાઇનલ પ્રદર્શન
શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'મિશન 5 મિલિયન ટ્રી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત AMC દ્વારા નાગરિકોને ઘરે બેઠા વૃક્ષારોપણની સુવિધા પૂરી પાડવામાં આવશે. રસ ધરાવતા નાગરિકો 'AMC સેવા એપ' પર રજીસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે રોપા મંગાવી શકશે.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શહેરમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે 'મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી' વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.
રાજ્યમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી GUJCOST દ્વારા પાટણ, રાજકોટ, ભાવનગર અને ભુજ ખાતે 4 અત્યાધુનિક રિજનલ સાયન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જેનો 25.64 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.પાટણ: 2022 માં લોકાર્પણ બાદ 14.86લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવી ચૂક્યા છે. આ કેન્દ્ર 2700 થી વધુ શાળાઓને જોડીને વિજ્ઞાન પ્રસારનું એપીસેન્ટર બન્યું છે.
આ બેઠકમાં વાસ્મો (WASMO) અંતર્ગત ચાલતી વિવિધ પાણી પુરવઠા યોજનાઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ, જિલ્લામાં નવા પાણી પુરવઠાના કામોના આયોજન અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર હેતલ જોશી, સમિતિના સભ્યશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ તેમના સંદેશ સાથે એક સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો. શ્લોકમાં લખ્યું છે, "મધુ વાત ઋતાયતે મધુ ક્ષરંતિ સિંધવઃ। મધવિર્ણઃ સંતવોષાધિઃ." આ શ્લોકનો અર્થ એ છે કે હવા આપણા માટે સુખદ અને લાભદાયી રીતે વહે, નદીઓ જીવન આપનાર અને પૌષ્ટિક પાણી પૂરું પાડે, અને ઔષધીય વનસ્પતિઓ અને છોડ બધા જીવો માટે આરોગ્ય અને સુખનો સ્ત્રોત બને. આ સંદેશ દ્વારા, પ્રધાનમંત્રીએ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો.
યોગને દિનચર્યામાં સામેલ કરવાની અપીલ
વૃક્ષારોપણ કાર્યક્રમમાં બીએસએફ ડીઆઈજી પ્રખાર ત્રિવેદી, અને અજય સૂર્યવંશી તેમજ IPS અભિષેક પાઠક, સહિતના અધિકારીઓ, સબઓર્ડિનેટ અધિકારીઓ, જવાન, તેમના પરિવારજનો અને અંકુર બાલ વાટિકા ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના વરિષ્ઠ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ તથા ટકાઉ વિકાસ માટે યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું હતું.આ પહેલ બીએસએફ ફોર્સ હેડક્વાર્ટર્સના નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હરિયાળી વિસ્તાર વધારવો, પર્યાવરણીય સંતુલન પ્રોત્સાહન આપવું અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો હતો.
વ્હાઇટ હાઉસ ખાતે વાતચીત દરમિયાન, ટ્રમ્પે એ ધારણાને ફગાવી દીધી કે યુએસ ટેકનોલોજી વિરુદ્ધ ચીનના પ્રભાવ અભિયાનો એક મહત્વપૂર્ણ ખતરો છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ચિંતા છે કે ચીન યુએસમાં ડેટા સેન્ટર વિરોધી ચળવળને ભંડોળ પૂરું પાડી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, "ના, મને તે અંગે ચિંતા નથી."રાષ્ટ્રપતિએ તેના બદલે બંને દેશો વચ્ચેની તાજેતરની રાજદ્વારી વાટાઘાટોનો ઉલ્લેખ કરતા કહ્યું, "અમારી ચીન સાથે ખૂબ સારી મુલાકાત થઈ."ટ્રમ્પે જાસૂસી અને દેખરેખ અંગેની ચિંતાઓને પણ ઓછી ગણાવી.