'એક પેડ માં કે નામ 2.0' અભિયાન અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 4 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વધુમાં, આનંદમ્ પરિવાર દ્વારા અંદાજે 2 લાખ 11 હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.