દેશમાં 4.5 મિલિયન ગ્રોસ ટન જહાજ નિર્માણની ક્ષમતા વધશે, લગભગ 30 લાખ નવી નોકરીઓનું થશે સર્જન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે જહાજ નિર્માણ અને દરિયાઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે ₹69,725 કરોડનું એક મોટું પેકેજ મંજૂર કર્યું છે. આ યોજનાથી દેશમાં 4.5 મિલિયન ગ્રોસ ટન જહાજ નિર્માણની ક્ષમતા વધશે, લગભગ 30 લાખ નવી નોકરીઓનું સર્જન થશે, અને આ ક્ષેત્રમાં લગભગ ₹4.5 લાખ કરોડનું રોકાણ આવશે.આ યોજનામાં શિપબિલ્ડિંગ માટેની નાણાકીય સહાય યોજનાને 31 માર્ચ 2036 સુધી લંબાવવામાં આવી છે, જેમાં ₹24,736 કરોડની જોગવાઈ છે. આ ઉપરાંત, શિપબ્રેકિંગ ક્રેડિટ નોટ માટે ₹4,001 કરોડ અલગ રાખવામાં આવ્યા છે. આ પહેલોને લાગુ કરવા માટે એક રાષ્ટ્રીય જહાજ નિર્માણ મિશનની પણ સ્થાપના કરવામાં આવશે.