Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે

જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.13/08/2025 થી તા.17/08/2025 સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો “એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ”ના મેદાનમાં જ્યારે વઢવાણનો લોકમેળો  “વઢવાણ મેળાના મેદાન” ખાતે યોજાશે.

Gujarati

ભાનુબેન બાબરીયાએ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરી પસંદગી

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આ યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમાજના તમામ વર્ગોની ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આજે રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ  7.32 કરોડથી વધુ ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે.

Gujarati

રાજ્યની કુલ 556 ITIમાં 2.17 લાખ કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ

આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં 288 સરકારી, 100 ગ્રાન્ટ-ઇન-એઇડ અને 168 સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ 556 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે. આ ITIમાં અંદાજે 2.17 લાખ કરતાં વધુ બેઠકો પર વિવિધ વ્યવસાયિક તાલીમ સુવિધા આપવામાં આવે છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે 79 રાષ્ટ્રીય કક્ષાના અને 53 રાજ્ય કક્ષાના એમ કુલ  132 અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં વર્તમાન જરૂરિયાત મુજબના IOT, ડ્રોન પાઈલોટ, સોલર ટેક્નિશિયન સહિતના એન્જિનિયરિંગ-નોન એન્જિનિયરિંગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. 

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના કર્યા દર્શન

મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના  દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

ભારત હેપેટાઇટિસ સામે મજબૂતાઈથી આગળ વધી રહ્યું: કેન્દ્રીય આરોગ્ય મંત્રી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ સોમવારે વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આ ખતરનાક રોગ સામે મજબૂતીથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ દ્વારા, દેશભરમાં જીવન બચાવવા અને આ રોગને નાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિવસ લોકોમાં હેપેટાઇટિસ અને તેના નિવારક પગલાં વિશે જાગૃતિ ફેલાવવાની એક શ્રેષ્ઠ તક છે.

Gujarati

શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભકતોની ભીડ: સોમનાથમાં નીકળી પાલખીયાત્રા

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ ખાતે શિવભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. મંદિરના પટ્ટાંગણમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ લાંબી કતારો લગાવી હતી અને મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. ભાવિકોની ભીડને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો સાથે ભાવિકોને કોઈ સમસ્યા ન ઉભી થાય તેના માટે બેરીકેટ બનાવાયા છે ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળી રહ્યાં છે.

સોમનાથમાં વિશેષ પાલખીયાત્રાનું આયોજન

Gujarati

અમેરિકા અને યુરોપિય સંઘ વચ્ચે ટેરિફ પર બની સહમતિ, વેપાર યુદ્ધ ટળ્યું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યૂરોપિય સંઘ વચ્ચે મોટી અને ઐતિહાસિક વેપાર સમજૂતી થઈ છે. આ સમજૂતીને ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવ્યો છે. જે બંને પક્ષો માટે મહત્ત્વનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, સમજૂતી અંતર્ગત EU 600 અરબ ડોલરનું રોકાણ કરશે અને તમામ દેશોના વેપાર બજાર ખૂલી જશે તેમજ યૂરોપિય સંઘ ઉપર તમામ ક્ષેત્રમાં 15 ટકા ટેરિફ લગાવવામાં આવશે અને EU અમેરિકા પાસેથી શસ્ત્રોની ખરીદી પણ વધારશે. 

કરાર વિશે બંને પ્રમુખોએ શું કહ્યું ?

Gujarati

અમરનાથ યાત્રા: 3.77 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

આ વર્ષે તારીખ 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 3.77 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. સોમવારે 1635 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર વેલી માટે રવાના થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 374 શ્રદ્ધાળુઓને લઈને 17 વાહનોનો પહેલો કાફલો સવારે 3:25 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો, જ્યારે 1261 શ્રદ્ધાળુઓને લઈને 42 વાહનોનો બીજો કાફલો સવારે 4 વાગ્યે પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો.

અમરનાથ શ્રાઇન બોર્ડે શું કહ્યું ?

Gujarati

ઇસરો અને નાસાનો સંયુક્ત ઉપગ્રહ 30 જુલાઈએ થશે લોન્ચ, આપત્તિ વ્યવસ્થાપનમાં કરશે મદદ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અને US અવકાશ એજન્સી નાસાએ સંયુક્ત રીતે એક અત્યાધુનિક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ વિકસાવ્યો છે, જે 30 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહને ભારતીય નિર્મિત GSLV-F16 રોકેટ દ્વારા 740 કિમીની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ ખરાબ હવામાન, વાદળો અને વરસાદ છતાં દિવસ અને રાત પૃથ્વીની સ્પષ્ટ તસવીરો લઈ શકશે. તેનો ઉપયોગ ભૂસ્ખલન, કુદરતી આફતોનું સંચાલન કરવા અને આબોહવા પરિવર્તન પર નજર રાખવા માટે કરવામાં આવશે.

ISROના ચેરમેને શું માહિતી આપી ?

Gujarati

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે મેચના પાંચમા દિવસે, ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 425 રન કર્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગમાં 358 રન કર્યા હતા જ્યારે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 669 રનનો વિશાળ સ્કોર કર્યો હતો.  ભારતે બે વિકેટે 174 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું.  જેમાં કેપ્ટન શુભમન ગિલે 103 રન અને કે.એલ.રાહુલે 90 રનનું યોગદાન આપ્યું હતું. મેચમાં 5 વિકેટ અને શાનદાર 141 રન કરનારા ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply