Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગુરુકુલો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોના સંરક્ષણ માટે કરવામાં આવતું કાર્ય રાષ્ટ્રનિર્માણની મહાન સેવા છે : રાજ્યપાલ

'શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા' પર આધારિત આ સત્સંગ સભામાં ગુરુકુલની 65 શાખાઓના 275થી વધુ સંતો તથા 8000થી વધુ પરિવારો યૂટ્યુબ અને ઝૂમ મારફતે જોડાયા હતા.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 થી 26 જુલાઈ દરમિયાન બે દેશો, યુકે અને માલદીવની રાજકીય મુલાકાતે જશે

પ્રધાનમંત્રી  મોદી 23-24 જુલાઈના રોજ યુનાઇટેડ કિંગડમ (યુકે) ની બે દિવસીય મુલાકાતે જશે. આ પછી, 25-26 જુલાઈના રોજ માલદીવની તેમની મુલાકાત નક્કી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુકેની સત્તાવાર મુલાકાત પીએમ કીર સ્ટારમરના આમંત્રણ પર થઈ રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આ મુલાકાત ચોક્કસપણે ટૂંકી છે, પરંતુ બંને નેતાઓને દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક પાસાઓની સમીક્ષા કરવાની, તેને વધુ મજબૂત બનાવવાના પગલાંની ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચાર કરવાની તક આપશે.

Gujarati

ભાદરવી પૂનમના મહામેળાને લઈ જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ

આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન,અંબાજી ખાતે  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહા મેળાનું સુચારુ આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાશે. સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે. ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે. તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

Gujarati

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સચિવાલય ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

 અમિત શાહે આપેલી સુચનાના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી તેમજ ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ આજે સચિવાલય ખાતે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા તેમજ ડ્રેનેજના કામોની બારીક માહિતી મેળવી હતી.જેમાં શહેરના ખ-માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજ લાઇનનું કામ,નવી નંખાયેલી ડ્રેનેજ લાઇનનું જોડાણ કાર્ય, જુના સેક્ટરોમાં તૂટેલા રોડ રસ્તાઓ અને નગરજનોને થઈ રહેલી મુશ્કેલીઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી આ બાબતે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પરિણામલક્ષી કાર્યવાહી કરાવવા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને સૂચન કર્યું હતું.

Gujarati

'એક પેડ માં કે નામ 2.0' અભિયાન અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે 4 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વધુમાં, આનંદમ્ પરિવાર દ્વારા અંદાજે 2 લાખ 11 હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. 

Gujarati

AMC દ્વારા રૂ. 81.40 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એએમસી દ્વારા રૂ. 81.40 કરોડના ખર્ચે પૂર્વ ઝોના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડને આવરી લેતી નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની પણ ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન થકી પૂર્વ ઝોનના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડની 5 લાખ વસ્તીને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળી છે.

Gujarati

“વંદે સોમનાથ કલા મહોત્સવ”: સોમનાથની પ્રાચીન કલા આરાધના પુનઃ જીવિત થઈ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા "વંદે સોમનાથ" ઉત્સવનું બીજું ચરણ સપન્ન થયું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ તેની ઐતિહાસિક ધરોહર ફરી પાછી મેળવી રહ્યું છે. તે જ દિશામાં  સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) ના સંયુક્ત ઉપક્રમે "વંદે સોમનાથ કલા મહોત્સવ" નું આયોજન કરાયું છે. આ નૂતન પ્રકલ્પનો ઉદ્દેશ સોમનાથ તીર્થના પ્રાચીન ઇતિહાસની અદ્વિતીય કલા અને સાંસ્કૃતિક ધરોહરને પુણ્ય જાગૃત કરવાનો છે.

Gujarati

અશોક ચૌધરી બન્યા GCMMFના ચેરમેન, ગોરધન ધામેલિયાને મળ્યું વાઈસ ચેરમેન પદ

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેનની જાહેરાત થઇ ચુકી છે. અશોક ચૌધરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ચેરમેન બન્યા, જ્યારે ગોરધન ધામેલિયા GCMMFના વાઈસ ચેરમેન બન્યા. અશોક ચૌધરી, ગોરધન ધામેલિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અશોક ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન છે જ્યારે ગોરધન ધામેલિયા રાજકોટ ડેરીના ચેરમેન છે.

Gujarati

અમદાવાદ અને સુરતમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, એરપોર્ટ અને સ્કુલ બન્યા નિશાન

ગુજરાતમાં એરપોર્ટ અને સ્કુલને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત છે. આ દિશામાં અમદાવાદ અને સુરતમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો, અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું, જયારે સુરતની વાત કરવામાં આવે તો ત્યાં સ્કુલને નિશાન બનાવવામાં આવી. બંને સ્થળોએ બોમ્બ મુક્યા હોવાની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ

Gujarati

મુંબઈ સિરિયલ બ્લાસ્ટ: 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના HCના નિર્ણયને SCમાં પડકાર

મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે પુરાવાના અભાવે 19 વર્ષ પછી 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટના આ નિર્ણયથી દેશની ન્યાયિક અને રાજકીય વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકાર વતી, સોલિસિટર જનરલ (SG)એ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
apply