કેદારનાથમાં ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ, AIIMSના બે ડોક્ટર અને એક પાયલોટનો બચાવ
નોડલ ઓફિસર રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે કેદારનાથ ધામ ખાતે એક દર્દીને બચાવવા માટે પહોંચેલી સંજીવની હેલી એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાયલોટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. આ હેલિકોપ્ટરમાં AIIMS ઋષિકેશની મેડિકલ ટીમ પણ સવાર હતી. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત બે ડોક્ટર સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે કેદારનાથ ધામના દર્શન કરવા આવેલી એક મહિલા ભક્તને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જ્યારે તેમની તબિયત બગડી ત્યારે રાજ્ય સરકારની હેલી એમ્બ્યુલન્સ સેવા સંજીવનીની મદદ લેવામાં આવી. હેલિકોપ્ટર સાથે AIIMS ની એક મેડિકલ ટીમ પણ કેદારનાથ પહોંચી રહી હતી.