ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલતા , ભારતનો સપષ્ટ પ્રતિસાદ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ચીને ફરી એકવાર એક નાપાક કૃત્ય કર્યું છે. ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલી નાખ્યા છે, જેનો ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે કહ્યું કે નવું નામ આપવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ શેર કરી.