પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ૯૪ વર્ષની જૈફ વયે નિધન
આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે.થોડા દિવસથી હેમાબેન આચાર્યનું નાદુરસ્ત તબિયતને લઈને સારવાર હેઠળ હતા.સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે.
આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે.થોડા દિવસથી હેમાબેન આચાર્યનું નાદુરસ્ત તબિયતને લઈને સારવાર હેઠળ હતા.સાંજે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે.
ભારતમાં, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 2030 પ્રાપ્ત કરવા તરફ માતૃત્વ અને શિશુ મૃત્યુ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માતૃત્વ મૃત્યુ દર (MMR) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૪-૧૬માં પ્રતિ લાખ જન્મ દીઠ ૧૩૦ થી ૩૭ પોઈન્ટ ઘટીને ૨૦૧૯-૨૧માં ૯૩ થઈ ગયું છે. તે જ સમયે, શિશુ મૃત્યુ દર 2014 માં પ્રતિ 1000 જન્મ દીઠ 39 થી ઘટીને 2021 માં પ્રતિ 1000 જન્મ દીઠ 27 થયો છે. નવજાત મૃત્યુ દર 2014 માં પ્રતિ 1,000 જન્મ દીઠ 26 થી ઘટીને 2021 માં પ્રતિ 1,000 જન્મ દીઠ 19 થયો છે.
ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદમાં ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ દેશને પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા ખોટા દાવાઓને સખત રીતે નકાર્યા હતા. આ પરિષદનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે નૌકાદળના કોમોડોર રઘુ આર. પણ હતા. નાયરની સાથે આર્મી તરફથી કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ તરફથી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ હતા. તમામ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બદલાની કાર્યવાહી અને પાકિસ્તાનના ખોટા પ્રચારનું તથ્યપૂર્ણ ખંડન રજૂ કર્યું.
ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાત કરીઃ વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થઈ ગયો છે. બંને દેશો વચ્ચે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો. પાકિસ્તાનના DGMOએ આજે બપોરે ફોન પર વાત કરી હતી. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામનું પાલન કર્યું છે અને બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાત કરશેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરી
પાકિસ્તાન દ્વારા હવે કચ્છ જિલ્લાના ભુજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભુજ-ખાવડા હાઇવે પર આવેલ એરફોર્સના એરબેઝ પાસે વહેલી સવારે ડ્રોન એટેક થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળ દ્વારા શહેરની બજારો બંધ કરી દેવામાં આવી છે અને લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.
આજે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદ ધારાસભ્યો તથા ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળના એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી થોડા દિવસો સુધી માર્કેટ તથા બજારો બંધ રાખવી અને બ્લેકઆઉટનું ચુસ્તપણે પાલન કરવું.
ભારતે પાકિસ્તાનના વધુ એક દાવાનો પર્દાફાશ કર્યો. દુશ્મન દેશની ફેક ન્યૂઝ ફેક્ટરીએ એવા સમાચાર બતાવ્યા જે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા નીકળ્યા. ભારતે તથ્ય તપાસ કરીને તેનો પર્દાફાશ કર્યો.
પાકિસ્તાનના 'AIK ન્યૂઝે' લાઈવ પ્રસારણમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઉધમપુર એરબેઝનો નાશ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે ફેક્ટ ચેકમાં ખોટો હોવાનું જાણવા મળ્યું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો.
સરકારે તમામ મીડિયા ચેનલોને એક સૂચના આપી છે કે સામુદાયિક જાગૃતિ અભિયાન સિવાય તેમના કાર્યક્રમોમાં નાગરિક સંરક્ષણ હવાઈ હુમલાના સાયરનના અવાજનો ઉપયોગ કરવો નહીં.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સાયરનના નિયમિત ઉપયોગથી નાગરિકો હવાઈ હુમલાના સાયરન પ્રત્યે અસંવેદનશીલ બની શકે છે અને વાસ્તવિક હવાઈ હુમલા દરમિયાન તેને સામાન્ય ઘટના માની શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખો સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર હતા. પાકિસ્તાન સામે ભારતની જવાબી કાર્યવાહી વચ્ચે આ બેઠક નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાબ આપ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણા સંપૂર્ણપણે નાશ કર્યા. 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનમાં ઠાર મરાયેલા આતંકવાદીઓની યાદી જાહેર કરવામાં આવી.
ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનમાં ટોપ-5 આતંકવાદીઓ ઠાર માર્યા છે. આમાં લશ્કરના આતંકવાદી મુદસ્સર ખાડિયાનનો પણ સમાવેશ થાય છે, જેને પાકિસ્તાની સેના દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના નજીકના લોકોને પણ ખતમ કરવાની પુષ્ટિ કરી છે.