Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી તા. 22 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે નોંધણીની સમયમર્યાદા તા. 15 સપ્ટેમ્બરથી આગામી એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે. એટલે કે, રાજ્યના ખેડૂતો હવે આગામી તા. 22 સપ્ટેમબર સુધી ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે.

Gujarati

પ્રધાનમંત્રી મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

આ પ્રોજેક્ટ્સથી રેલ્વે, રોડવે, ઉર્જા, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધતા, પીએમ મોદીએ વાદળી પર્વતોની આ સુંદર ભૂમિના રક્ષક ભગવાન પઠિયનને શ્રદ્ધાંજલિ આપી. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું કે તેઓ મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર હાજર હતા અને ખરાબ હવામાનને કારણે આઈઝોલમાં લોકોને મળી શક્યા નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પરિસ્થિતિઓ હોવા છતાં, તેઓ આ માધ્યમથી પણ લોકોનો પ્રેમ અને સ્નેહ અનુભવી શકે છે.

મિઝોરમના લોકો હંમેશા યોગદાન આપવા માટે આગળ આવ્યા છે

Gujarati

12 સપ્ટેમ્બર 2025ના રોજ GRITએ પોતાનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો

આ અવસરે, GRIT દ્વારા જ્ઞાનવિનિમય અને આધુનિક વિષયો પર ચર્ચા માટે વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવી. શ્રેણીની શરૂઆત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ડેપ્યુટી ગવર્નર ડૉ. પૂનમ ગુપ્તાના મુખ્ય ભાષણથી થઈ, જેમણે “ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક” વિષય પર માર્ગદર્શનઆપ્યું.
            

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઋજુતાના થયા દર્શન, પ્રજ્ઞાચક્ષુ બાળકીને માઇક આપી સાંભળી વાત

બન્યું એવું કે, સમિટમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી ગૌરી શાર્દુલ પણ સામેલ હતી. ગૌરીએ જાતે દોરેલા મુખ્યમંત્રીના સ્કેચની ફ્રેમ આપી સ્વાગત કર્યું. 

Gujarati

‘સ્વચ્છ હવા જીવન' માટે ખૂબ જરૂરી; તેના માટે સંયુક્ત પ્રયાસો કરીએ- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાન, સર્ક્યુલર ઈકોનોમી,નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, 'એક પેડ મા કે નામ' 'વન મહોત્સવ' જેવા વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમ,વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- GPCB દ્વારા ગત તા.

Gujarati

સુઈ ગામમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપભેર પુર્વવત કરવા આપ્યુ માર્ગદર્શન

મુખ્યમંત્રી ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. 

Gujarati

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ

એમ, કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામની મુલાકાત લીધી,અસરગ્રસ્તોને આપી હિંમત

મુખ્યમંત્રીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ત્યાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના હાલચાલ પૂછ્યા હતા.

Gujarati

આદિ સંસ્કૃતિ પોર્ટલ (Beta Version) પહેલનું નવી દિલ્હીથી લોન્ચિંગ : વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા એક નવીન પહેલ તરીકે ‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version)ને લોન્ચ કરવામાં આવ્યું છે, જેના પરિણામે દેશમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટી નિર્માણ પામી છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના આદિવાસી કલા સ્વરૂપોને શીખવા, શીખવવા અને પ્રોત્સાહન આપવા માટે ઇ-એકેડેમી તરીકેનો છે. તદુપરાંત આ પોર્ટલ થકી દેશના આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સામાજિક-સાંસ્કૃતિક વારસાના દસ્તાવેજીકરણ-પ્રદર્શન માટે ડિજિટલ રિપોઝીટરી તરીકેની સેવા પણ આપવામાં આવશે. 

Gujarati

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 400 ટન ખાદ્ય સામગ્રી અને 70 ટન દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને પંજાબના પૂર અસરગ્રસ્તો માટે કરી રવાના

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 10 હજાર નંગ તાડપત્રી, 10 હજાર મચ્છરદાની, 10 હજાર બેડશીટ અને 70 ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply