કેન્દ્ર સરકારે કપાસ પરની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી
કપાસ કાપડ નિકાસ ભારતની કુલ કાપડ નિકાસમાં 33% હિસ્સો ધરાવે છે, જે કપાસની માંગને ટકાવી રાખવામાં મદદ કરે છે અને ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડે છે. વિવિધ કાપડ સંગઠનોએ 31 ડિસેમ્બર 2025 સુધી કપાસની તમામ જાતો પર આયાત ડ્યુટીમાં 11% મુક્તિ આપવાના સરકારના પગલાનું સ્વાગત કર્યું છે.ટેક્સટાઇલ મંત્રાલયે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા સૂચિત આ નિર્ણયથી યાર્ન, ફેબ્રિક, એપેરલ અને મેડ-અપ્સ સહિત સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાના ઇનપુટ ખર્ચમાં સ્થિરતા આવવાની અપેક્ષા છે, જેનાથી ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને રાહત મળશે.