બોટાદના ગોરડકા ખાતે ગાય આધારિત ખેતી અંગે શિબિર: ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન
આ શિબિરમાં બોટાદ જિલ્લાના કૃષિ, બાગાયત, આત્માના કર્મયોગીઓએ તેમજ ખાતર ઉત્પાદન કરતી અને વેચાણ કરતી વિવિધ કંપનીઓ, ખેડૂત સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકએ ઉપસ્થિત ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતી દરમિયાન રાસાયણિક ખાતરના પર્યાય રૂપે જૈવિક તથા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ, ગાય આધારિત ખેતીમાં વપરાતા જીવામૃત તથા ઘન જીવામૃતના વપરાશથી થતાં ફાયદાઓ, રાસાયણિક ખાતરમાં જ ઉપલબ્ધ નેનો યુરિયા, નેનો ડીએપીના વપરાશ વધારવા, જમીનની ફળદ્રુપતા જાળવવા સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.