SGVP અને ફાઉન્ડેશન ફોર પીસફુલ ચેન્જ દ્વારા ‘વર્લ્ડ પીસ ફ્લેગ સેરેમની’નું આયોજન
આ પ્રસંગે વૈશ્વિક એકતા અને વૈદિક જ્ઞાનના સંગમ દ્વારા “ઇન્ડિજીનિયસ – વિસ્વદેશી” ચળવળનું આહવાન કરવામાં આવ્યું હતું.આ સમારોહ પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં "વસુધૈવ કુટુંબકમ"ના પવિત્ર સિદ્ધાંત હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમના ઋષિકુમારો દ્વારા પરંપરાગત વૈદિક સંસ્કૃત શ્લોકગાન સાથે કરવામાં આવી હતી. સમારોહની પૂર્ણાહુતિ ઉપનિષદના 'શાંતિ પાઠ'થી થઈ હતી, જેમાં સર્વે જીવોના સ્વાસ્થ્ય અને સુખની મંગલ કામના કરવામાં આવી હતી.