મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ.1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સેચ્યુરેશન એપ્રોચ પર ભાર મુક્યો છે. પ્રધાનમંત્રીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી માટે પણ પરિણામલક્ષી કામગીરી કરી છે.