પ્રાકૃતિક ખેતીએ આવનારી પેઢી અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
પ્રાકૃતિક ખેતી એ આવનારી પેઢી અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે તેમ જણાવી રાજ્યપાલએ અધિકારીઓ અને પ્રશિક્ષકોને આ મિશન માટે સમર્પણભાવથી કામ કરવા અપીલ કરી હતી.રાજ્યપાલએ ખેડૂતોની મૂંઝવણ દૂર કરતા સ્પષ્ટ કર્યું કે, પ્રચલિત જૈવિક ખેતીમાં ખર્ચ અને મહેનત વધુ છે, પરંતુ ઉત્પાદન ઓછું મળે છે. તેથી ખેડૂતો તેનાથી દૂર ભાગે છે. પરંતુ પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. પ્રાકૃતિક ખેતી એ અબજો સૂક્ષ્મ જીવાણુઓથી થતી શૂન્ય ખર્ચની ખેતી છે. પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતે બહારથી કોઈ મોંઘા ખાતર કે દવા ખરીદવાની જરૂર નથી.