સેકટર-8 ખાતે ગાંધીનગર મહાનગર ભાજપાના કાર્યાલયની મુલાકાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
તેમણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આહ્વાન મુજબ યોગ્ય જતનના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને તેમાં ભાજપા સંગઠન વિશેષ રીતે યોગદાન આપે તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેએ આકાર પામી રહેલા નવા કાર્યાલય અંગે હર્ષ સંઘવીને વિવિધ માહિતી આપી હતી. મેયર મીરાબેન પટેલ સહિત કાર્યકરો આ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતાં.