પ્રધાનમંત્રી મોદીએ સહારનપુરમાં વન્યજીવન કોરિડોરનું કર્યું નિરીક્ષણ
પ્રધાનમંત્રી મોદીના વન્યજીવન કોરિડોરના નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક હાજર રહ્યા હતા. વન્યજીવન કોરિડોરની બાંધકામ પ્રક્રિયા દર્શાવતું એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. અધિકારીઓએ પ્રધાનમંત્રીને પ્રોજેક્ટ વિશે માહિતી આપી.અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ સહારનપુરમાં રોડ શોનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે રસ્તાના કિનારે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.