મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનના ખુલ્લા જંગલમાં બે માદા ચિત્તા છોડવામાં આવ્યા
શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખુલ્લા જંગલમાં બે માદા ચિત્તા છોડતા, મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે મધ્યપ્રદેશની ભૂમિએ ચિત્તાઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડીને અને તેમને પોતાના પરિવારનો ભાગ બનાવીને તેમના પુનર્વસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં કુનોમાં 'પ્રોજેક્ટ ચિત્તા' શરૂ કર્યો હતો. આજે, દેશમાં આ ચિત્તા પુનઃપ્રવેશ પ્રોજેક્ટ ઝડપથી સફળતાની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. મધ્યપ્રદેશ આ મહત્વપૂર્ણ પ્રયાસમાં સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.