ઉત્તરાખંડ: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 7.72 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કેદારનાથ : સૌથી વધુ અંદાજે 3.45 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.બદ્રીનાથ : અંદાજે 1.85 લાખ ભક્તોએ શીશ ઝુકાવ્યું.યમુનોત્રી: અંદાજે 1.16 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા.ગંગોત્રી: 1.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી.શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ હિમાલયની ભૌગોલિક સ્થિતિને કારણે આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે પડકારજનક પણ બની રહી છે. 19 એપ્રિલથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર 29 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે.હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાને અત્યંત પવિત્ર અને મોક્ષદાયી માનવામાં આવે છે.