પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી સાથ આપવા બદલ વિયેતનામનો આભાર: પ્રધાનમંત્રી મોદી
હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી ભારત યાત્રાની શરૂઆત બંને દેશોની સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક છે.ભારત અને વિયેતનામ હવે તેમના સંબંધોને 'એન્હાન્સ્ડ કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ'ના સ્તરે લઈ જઈ રહ્યા છે.